Standard 8: Chapter 2- Microorganism : Friends & Foe

પ્રકરણ 2  સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ


  1. સૂક્ષ્મજીવો કોને કહે છે?
  2.  સૂક્ષ્મજીવો ક્યાં રહે છે?
  3. વાઇરસ અન્ય સૂક્ષ્મજીવો કરતા કઈ રીતે ભિન્ન છે?
  4. વાઇરસ દ્વારા કયા કયા રોગો થાય છે?
  5. પ્રજીવ થી કયા કયા રોગો થાયછે?
  6. ટાઇફોઇડ કયા બેકટેરિયાથી ફેલાય છે?
  7. ક્ષયને અન્ય કયા નામે ઓળખાય છે? તે કયા સૂક્ષ્મજીવ થી ફેલાય છે?
  8. અમીબાની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
  9. પેરામિશીયમ ની નામનિર્દેશન વાળી આકૃતિ દોરો.
  10. કયા કયા સૂક્ષ્મજીવો સમૂહ માં જોવા મળે છે?
  11. કયા કયા સૂક્ષ્મજીવો એકલા અટૂલા જોવો મળે છે?
  12. સૂક્ષ્મજીવો જમીન ની ફળદ્રુપતા વધારવામાં કેવી રીતે ઉપયોગી બને છે?
  13. પ્રાચીનકાળથી સૂક્ષ્મજીવોનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવે છે?
  14. દૂધમાંથી દહીં બનાવવા માટે મુખ્યત્વે કયા બેકટેરિયા ઉપયોગી બને છે?
  15. ઢોકળા નાં ખીરું માં આથવણ આવવાની પ્રક્રિયા સમજાવો.
  16. વેપાર માં સૂક્ષ્મજીવો કઈ કઈ રીતે ઉપયોગી છે?
  17. આથવણ કોને કહે છે?
  18. આથવણ ની શોધ કોણે અને ક્યારે કરી?
  19. એન્ટિબાયોટિક્સ ના ઉત્પાદનમાં કયા સૂક્ષ્મજીવો નો ઉપયોગ થાય છે? ઉદાહરણ આપો.
  20. એન્ટિબાયોટિક્સનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે?
  21. પેનિસિલિન કોણે , ક્યારે અને કેવી રીતે બનાવી?
  22. પાલતુ પ્રાણીઓને એન્ટિબાયોટિક્સ શા માટે આપવામાં આવે છે? કેવી રીતે?
  23. શરદી અને તાવ માં એન્ટિબાયોટિક્સ લેવી જોઈએ? શા માટે?
  24. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે સૂક્ષ્મજીવો કેવી રીતે ઉપયોગી બને છે?
  25. શીતળા ની રસી ની શોધ કોને અને ક્યારે કરી?
  26. બાળકને પોલિયોની રસી કયા સ્વરૂપે આપવામાં આવે છે?
  27. કયા રોગ વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું?
  28. કયા રોગને રસીકરણ દ્વારા નાબૂદ કરવામાં આવ્યો છે?
  29. રસીનું ઉત્પાદન શેમાંથી કરવામાં આવે છે?
  30. ભૂમિમાં નાઇટ્રોજન નું સ્થાપન કેવી રીતે થાય છે?
  31. પર્યાવરણનું શુદ્ધિકરણ માં સૂક્ષ્મજીવોનો ફાળો સમજાવો.
  32. રોગકારક સૂક્ષ્મજીવો કોને કહે છે?
  33. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શેનાં દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે?
  34. ચેપી રોગો કોને કહે છે?
  35. ચેપી રોગોના ઉદાહરણ આપો.
  36. મિલન છીંક ખાય છે. તો તેણે શું કાળજી રાખવી જોઈએ? શા માટે?
  37. સૂક્ષ્મજીવો ના વાહકનાં ઉદાહરણ આપો.
  38. એક લારી પર માખીઓ ઉડી રહી છે. તો શું તમે તે લારી પરનો ખોરાક ખાવાનું યોગ્ય સમજશો? શા માટે?
  39. મેલેરિયાનું વાહક કયું છે?
  40. ડેન્ગ્યુ વાઇરસ નું વાહક કયું છે?
  41. મચ્છર શેમાં પ્રજનન કરે છે?
  42. મેલેરીયાને ફેલાતો કેવી રીતે અટકાવી શકાય?
  43. એંથ્રેક્સ રોગનો વાહક કોણ છે?
  44. રોબર્ટ કોશે શેની શોધ કરી હતી?  ક્યારે?
  45. ઢોર માં ફૂટ અને માઉથ ડીસીઝ શેનાં દ્વારા થાય છે?
  46. કોઈ પણ ત્રણ વનસ્પતિજન્ય રોગો, તેનાં માટે જવાબદાર સૂક્ષ્મજીવ અને તેના ફેલાવાની રીત જણાવો.
  47. રિમાએ બજારમાં જઈને સમોસા ખાધા. ઘરે આવીને તેને ઊલટી થવા લાગી. તેને દવાખાને લઇ જવામાં આવી. આવું શા કારણે થયું હશે?
  48. બજારમાંથી લીધેલી કેરીઓ મૂકી રાખવાથી તે થોડાં દિવસમાં બગડી જાય છે. જ્યારે તે કેરીમાંથી બનાવેલ અથાણું લાંબા સમય સુધી બગડતું નથી. આવું કેમ?
  49. તમે જાણતા હો તેવા કોઈ પણ બે રાસાયણિક પ્રિઝર્વેટિવઝ ના નામ આપો.
  50. ખાદ્ય પદાર્થ ને સૂક્ષ્મજીવોના આક્રમણથી બચાવવા આપણે કઈ કઈ પદ્ધતિઓ અપનાવીએ છીએ? દરેક પદ્ધતિ વિશે સમજાવો.
  51. લાંબા સમય થી માંસ અને માછલીની જાળવણી માટે ક્યાં સંયોજન નો ઉપયોગ કરવામાં આવે છે?
  52. મીઠાનો ઉપયોગ શેની શેની જાળવણી માટે કરવામાં આવે છે?
  53. એસિટિક એસિડ ને સામાન્ય રીતે કયા નામે ઓળખવામાં આવે છે?
  54. પેશ્ચ્યુરાઈઝેશન કોને કહે છે? તે કેવી રીતે કરવામાં આવે છે?
  55. પેશ્ચ્યુરાઈઝેશનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
  56. ખાદ્યપદાર્થોને કેવી રીતે સંગ્રહ કરવાથી તેને સૂક્ષ્મજીવોથી બચાવી શકાય છે?
  57. રાઈઝોબિયમ બેકટેરિયા આપણને કઈ રીતે ઉપયોગી છે?
  58. રાઈઝોબિયમ બેક્ટરીયા ક્યાં વસવાટ કરે છે?
  59. આપણા વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે?
  60. નાઇટ્રોજન શેમાં હાજર હોય છે?
  61. કયા સજીવો વાતાવરણમાં રહેલ નાઇટ્રોજનનું સ્થાપન કરી યોગ્ય નાઇટ્રોજન ક્ષરોમાં રૂપાંતરણ કરી શકે છે?
  62. વનસ્પતિ નાઇટ્રોજનનો ઉપયોગ શેના માટે કરે છે?
  63. વનસ્પતિ દ્વારા પ્રાણીઓ અને વનસ્પતિમાં રહેલા નાઇટ્રોજનનો પુનઃઉપયોગમાં કેવી રીતે લેવાય છે?
  64. નાઇટ્રોજન ચક્ર ની ડાયાગ્રામ દોરી સમજ આપો. 
  65. ભીંડા ના પિત્ત ને કયા નામે ઓળખવામાં આવે છે?

Comments

Popular posts from this blog

Difference between Ursa Major & Ursa Minor in hindi

NCERT gujarati medium science question bank

NMMS PREPARATION MATERIAL